વિચારમંથનના મોતિઓ / Pearls of brainstorming
ૐ
વિચારમંથનના મોતિઓ
ગઈ કાલે મેં એક અંગ્રેજી ફિલ્મ જોઈ.
આપણે મોટા, આ બાળકોના હૃદયમાં કે જે નાત જાત, ઊંચ નીચ, અમીર ગરીબ, તારું મારું, આવી વાતોને તેઓ સમજતા નથી, જાણતા નથી પણ આપણે મોટા જાણતા અજાણતા મનમાં નાખતા હોઈએ છે. આપણે જીવાત્મા, જન્મોજન્મના કરેલા કર્મોના સંસ્કારો રૂપી ભાથા બાંધીને જન્મોજન્મ જીવન મરણના ફેરા કાપતા રહીએ છીએ. દયાળુ પરમેશ્વર દરેક જન્મ આપણને સારા કાર્યો કરી આ તેણે બનાવેલી દુનિયાને સદગુણોથી સુંદર બનાવવા મોકલે છે પરંતુ આપણે તેણે સુંદર ના બનાવતા નફરત રૂપી ઝેર ફેલાવીએ છીએ. એ પણ પોતાના નિઝી સ્વાર્થ ખાતર. એ પરમાત્માની નજરમાં બધા જીવો એક્સમાન. પરમાત્માએ બધા જીવોને આ સુંદર પ્રકૃતિ સાથે સુંદર વિશ્વ આપેલું, પરંતુ દિવસે ને દિવસે આપણે મનુષ્યો તેને બધી રિતે બદલાવી રહ્યા છે. પછી ભલે તે કર્મોથી હોઈ ( પ્રદુષણ, આંતક, લડાઈ વગેરે ) કે પછી ગુણોથી હોઈ ( કામ, ક્રોધ, સ્વાર્થ, નફરત, લોભ વગેરે ).
તમને નથી લાગતું કે આ સુંદર દુનિયા દિવસે ને દિવસે વધુ સુંદર બનવી જોઈએ? આવનારી પેઢીઓ કે જે આપણી ઉપર ગૌરવ કરે. આપણે બધા એ પરમપિતાના દિવ્ય સંતાનો છીએ એ હંમેશા યાદ રાખીએ, પરમેશ્વરના એ સદગુણોને હંમેશા હૃદયમાં ને આપણા કર્મોમાં વસાવીએ. બસ એટલું કરીએ કે પોતાના સ્વાર્થ માટે બીજાનું ખરાબ ના કર્મોથી કરીએ કે ના વિચારોથી કરીએ. જી હા! શરીરથી કરેલા કર્મો તો કદાચ માફ થશે પરંતુ વિચારોથી કરેલા સારા કે ખરાબ બંનેના હિસાબો ચુકવવા પડશે.
મિત્રો જરૂર વિચાર કરજો......... ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏




ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો